વિરોધ દરમિયાન પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડનું પૂતળું બાળી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાથે રસ્તા પર દૂધની નદીઓ વહાવી રહ્યા છે. ત્યારે આજે ભારે વિરોધ સાથે આ પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ શરૂ કરતા પોલીસ દ્વારા આ પશુપાલકોને રોકવા માટે સજ્જડ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ગાંધીનગર કૂચ કરવા આવતા પશુપાલકોને ટ્રેક્ટર સાથે પોલીસ અટકાયત કરવામાં આવી રહી છે. તેમજ જે પશુપાલકો વિરોધ પ્રદર્શન જોડાય તેમની અટકાયત કરવામાં આવી રહી છે.
આ સમયે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ નહીં થાય, તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરશે. તેમજ આવતી કાલે દહેગામ બંધ માટેની ચીમકી પણ ઉચ્ચારી છે. આમ દહેગામમાં મધુર ડેરી દ્વારા દૂધ ખરીદી બંધ થતાં પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને માંગણીઓ ન માન્ય થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.